રાજકોટ:   કોળી સમાજને ભાજપ અન્યાય કરતું હોવાના ભાજપના જ પૂર્વ સાંસદે આરોપ લગાવ્યો છે. ભાજપના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપુરાએ કહ્યુ,  ભાજપ હોય કે કૉંગ્રેસ, સમાજને અન્યાય નહીં સાંખી લેવાય.  વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટમાં કોળી સમાજનું  શક્તિ પ્રદર્શન યોજાયું હતું.   ભાજપના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપુરાએ કહ્યુ,  અમને દેખાય છે કે ભાજપ અમને અન્યાય કરે છે. ભાજપ અને કોંગ્રેસ બને જાણે છે કે કુંવરજીભાઇ અને દેવજીભાઈ ફતેપરાની શુ તાકાત છે. 

બિન રાજકિય રૂપથી સમાજના આગેવાનો એકત્ર થયા હતા.  રાજ્યમાં સૌથી વધુ વસ્તી ઓબીસી સમાજ અને કોળી ઠાકોર અને કોળી પટેલની હોવાનું સમાજના આગેવાનોનો મત છે.  આ સંમેલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા,  વર્તમાન નગરસેવક બાબુભાઇ ઉધરેજા, પૂર્વ ધારાસભ્યો, પૂર્વ નગરસેવકો અને સમાજના વિવિધ ક્ષેત્રના આગેવાનો અને  કોંગ્રેસ-ભાજપના સમાજના કાર્યકરો જોડયા હતા. 

ભારતીય જનતા પાર્ટીના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરાએ કહ્યું,  અન્ય સમાજ નિવેદન કરે તો ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ચા પીવા જાય છે.  અમારા સંગઠનના નેતાઓની ભાજપ અવગણના કરે છે.   સૌરાષ્ટ્રમાં  મેજોરીટી સીટ છે તે વિધાનસભાનો પ્રવાસ કરશું. અમે ભાજપમાં છીએ અને રહેવાના છીએ પણ અમારી સાથે અવગણના થાય છે. અમને દેખાય છે કે ભાજપ અમને અન્યાય કરે છે. ભાજપ અને કોંગ્રેસ બને જાણે છે કે કુંવરજીભાઇ અને દેવજીભાઈ ફતેપરાની શુ તાકાત છે. 

દેશના આ રાજ્યમાં કડક પ્રતિબંધો લાગૂ

પશ્ચિમ બંગાળમાં ઓમિક્રોનના વધતા જતા કેસ વચ્ચે ખતરો વધી ગયો છે. રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને લઈ સરકારે નવા કોરોના પ્રતિબંધો લાગૂ કર્યા છે. પશ્ચિમ બંગાળ સરકારે (West Bengal Government) તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે જ રાજ્ય સરકારે નિવેદન જાહેર કરી કહ્યું કે કાર્યાલયોમાં 50 ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી માત્ર જરુરિયાતની સેવાઓને જ મંજૂરી આપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ એચ કે દ્રિવેદીના  (West Bengal Chief Secretary H K Dwivedi) મુજબ રાજ્યમાં લોકલ ટ્રેન  (Kokata Local) સોમવારથી  50 ટકા ક્ષમતા સાથે સાંજે સાત વાગ્યા સુધી ચાલશે. જિમ પણ બંધ (Gym Parlor closed) રહેશે. કાલથી તમામ સ્કૂલ કૉલેજ, યુનિવર્સિટી, સ્પા, સલુન, બ્યૂટી પાર્લર, ચિડિયાઘર અને મનોરંજન પાર્કને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પશ્ચિમ બંગાળ (West Bengal) માં એક જાન્યુઆરીએ ઓમિક્રોનના બે કેસ સામે આવ્યા છે. ત્યારબાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 16 થઈ ગઈ છે. અધિકારીએ જણાવ્યુંકે એક સંક્રમિત ઓરિસ્સાથી આવ્યો હતો, જ્યારે એક અન્ય વ્યક્તિ પ્રદેશના ઉત્તર 24 પરગના જિલ્લાના પેટ્રોપોલમાં ભારત-બાંગ્લાદેશ અંતરરાષ્ટ્રીય સરહદ પર ઓમિક્રોન સંક્રમિત મળી આવ્યો હતો.અધિકારીએ જણાવ્યું કે બંને સંક્રમિતોની સારવાર કોલકાતામાં ચાલી રહી છે.