અમદાવાદ: સોહરાબુદ્દીન શેખ અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ મામલે દોષ મુક્ત થવા માટે મુંબઇની વિશેષ સીબીઆઇ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં એટીએસના તત્કલીન વડા અને નિવૃત આઇપીએસ ઓફિસર ડી.જી.વણઝારા,  રાજસ્થાનના આઇપીએસ આઇ.જી. દિનેશ એમ.એન, પીઆઇ એન.વી.ચૌહાણ અને  કોન્સટેબલ સંતરામ શર્મા અને અજય પરમારે મુંબઇની વિશેષ સીબીઆઇ કોર્ટમાં દોષ મુકત થવા માટે ડીસ્ચાર્જ અરજી કરી છે.