સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે જૂનાગઢમાં કોરોનાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. કોવિડ-19 કેર સેન્ટરમાંથી 8 દર્દીઓને હોમ આઈસોલેશનની સલાહ સાથે દર્દીઓેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.


જૂનાગઢ જિલ્લામાં કોરોના માત્ર પાંચ જ એક્ટિવ કેસ છે. અત્યાર સુધી કુલ 29 કેસ નોંધાયેલા હતા જેમાં 24 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. માત્ર હાલ 5 જ કેસ એક્ટિવ છે.

આજે ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની વિગતવાર વાત કરીએ તો, 3 દર્દીઓ કેશોદ અને 5 દર્દીઓ વિસાવદરના બરડીયાનાઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.