પાટણ:  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ઈન્ચાર્જ કુલપતિની નિમણૂંક કરવામાં આવી છે.  યુનિવર્સિટીના રજીસ્ટાર ડૉ.રોહિત કુમાર દેસાઈની ઈન્ચાર્જ કુલપતિ તરીકે પસંદગી કરવામાં આવી છે.  જો કે કાલે યુનિવર્સિટીના હાલના કુલપતિ જે. જે વોરાનો કાર્યકાળ પૂર્ણ થશે.  આ તરફ યુનિવર્સિટીમાં કારોબારી બેઠક પૂર્ણ થઈ છે.  કારોબારી બેઠકમાં કોઈ વિવાદાસ્પદ મુદ્દાને લઈ ચર્ચા ન કરવામાં આવી. 



નેક ટીમની મુલાકાત અને નવા પ્રવેશને લઈ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.  કુલપતિના નિવૃત્તિના એક દિવસ પહેલા તત્કાલીન બેઠક બોલાવાઈ છે. જેમાં MBBS ગુણ સુધારા કૌભાંડ મુદ્દે યુનિવર્સિટી કુલપતિ જે.જે. વોરાને બેદરકારીની આપેલ નોટિસનો હાલ કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.  જો કે આ પહેલા મળેલી કારોબારી બેઠકમાં યુનિવર્સીટીના કુલપતિ જે જે વોરાને દોષી નહીં પરંતુ બેદરકાર ઠેરવવામાં આવ્યા છે.  કારણ કે, તેમની સામે MBBS ગુણ સુધારા કૌભાંડનાં કોઈ પુરાવા મળ્યા નથી.  


Ahmedabad: ઉતરાયણને લઈને અમદાવાદ પોલીસે બહાર પાડ્યું જાહેરનામું, ફક્ત ચાઈનીઝ દોરી જ નહીં પણ આ મામલે પણ થશે કાર્યવાહી


ઉતરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પ્રતિબંધિત સિંથેટિક દોરી એટ્લે કે ચાઇનીઝ દોરી, તુક્કલ વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધના જાહેરનામા અંગે માહિતી આપવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે,  ચાઇનીસ દોરીના વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદમા 113 જગ્યા પર રેડ કરવામાં આવી છે. લોકો અને પશુઓને નુકશાન થાય તે માટેના પ્રયાસ મામલે 170 જેટલા કેસ કરવામાં આવ્યા છે.


આઈટી એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે


ચાઇનીસ દોરીના ઑનલાઇન વેચાણ સામે પણ આઈટી એકટ હેઠળ કામગીરી કરવામાં આવશે. સિંથેટિક દોરી વધુ કેમિકલ ટ્રીટમેન્ટ આપી વધુ કાચ ઉમેરવામાં આવે છે. જેથી દરેક પોલીસ સ્ટેશનને સુચના અપાઈ છે કે જેઓ દોરી તૈયાર કરતા હોય તેમને સમજાવવામાં આવી રહ્યાં છે. વધું તેજીલી દોરી ઘાતક હોય છે જેથી તેના પર નિયંત્રણ મેળવવા માટેનો પ્રયાસ હાથ ધરવામાં આવે છે.


અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે


પ્રતિબંધિત સિન્થેટિક દોરી કે જે ચાઈનીઝ દોરીના નામથી ઓળખાય છે તેની સામે અમદાવાદ પોલીસ સતર્ક બનીને કાર્યવાહી કરી રહી છે. ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા લોકો સામે અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યા છે. માત્ર ચાઈનીઝ દોરી નહીં પરંતુ પોલીસ હવે રેગ્યુલર પતંગ ચગાવવાની દોરીને વધુ ધારદાર બનાવતા વેપારીઓને મળીને સમજાવવાનો અભિયાન પણ હાથ ધર્યું છે.


અમદાવાદમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં 


ઉતરાયણનો તહેવાર નજીક છે તેવામાં દિવસેને દિવસે ચાઈનીઝ દોરીનું પ્રમાણ વધ્યું છે. લોકો માટે ઘાતક અને જીવલેણ સાબિત થતી ચાઈનીઝ દોરીના વેપાર અને ઉપયોગ સામે અમદાવાદ શહેર પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધી 170 કેસ દાખલ કરવામાં આવ્યાં છે. એક અંદાજ પ્રમાણે અત્યાર સુધી 3 હજાર જેટલી ચાઈનીઝ દોરીની રીલ ઝડપી લેવામાં આવી છે. ઓનલાઇન ચાઈનીઝ દોરીના વેચાણ બાબતે પણ સાયબર પોલીસ નજર રાખી રહ્યું હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે.