ગાંધીનગર :  ગુજરાતના દરિયાકાંઠે હાલમાં બિપરજોય વાવાઝોડાનો ખતરો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં પ્રસાશન દ્વારા લોકોને સતર્ક કરવામાં આવી રહ્યા છે.  તાઉતે વાવાઝોડાની જેમ બિપરજોય ત્રાટકી શકે છે.  વાવાઝોડું ગુજરાત પહોંચતા બનશે વેરી સિવિયાર સાયક્લોન. 14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ અસર થશે.  અમદાવાદમાં  ભારે વરસાદની સંભાવના છે.  બિપરજોય વાવાઝોડું હાલ પોરબંદરથી માત્ર 400 કિમી દૂર છે. આ વાવાઝોડું દ્વારકાના દરિયાકાંઠાથી 440 તો નલિયાથી 530 કિમી દૂર છે.  બિપરજોય વાવાઝોડું 7 કિમીની ઝડપે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે.  


બિપરજોય વાવાઝોડુ 15 જૂને કચ્છના માંડવી અને કરાંચી વચ્ચે ટકરાશે. હવામાન વિભાગે આ  માહિતી આપી છે.  વાવાઝોડુ લેન્ડ ફોલ થશે ત્યારે તે વિસ્તારમાં 125 થી 135 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાશે.  કચ્છ, દ્વારકા અને જામનગરમાં વાવાઝોડાની વધુ અસર થશે. ભારે પવન, વીજળી સાથે અતિ ભારે વરસાદ પડશે. 


14 અને 15 તારીખે કચ્છ, મોરબી, દ્વારકા, રાજકોટ, જામનગર, અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે  અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. 


ભારે પવનથી વૃક્ષો પડવાની શક્યતા હોવાથી પ્રભાવિત વિસ્તારના લોકોએ ઘરની બહાર ન નિકળવાની સુચના આપવામાં આવી છે.  રાજ્યના અન્ય જિલ્લાઓમાં છુટો છવાયો વરસાદ પડશે. આ સાથે જ 30 થી 35 કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે.  


15 જૂને વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છને ધમરોળશે


બિપરજોય વાવાઝોડાની અસર ગુજરાતના દરિયાકાંઠે જોવા મળી રહી છે. આ વાવાઝોડું ગુજરાત તરફ તિવ્ર ગતિ સાથે આગળ વધી રહ્યું છે.  બિપરજોય વાવાઝોડું પોરબંદરથી માત્ર 400 કિલોમીટર દૂર છે. દ્વારકાથી વાવાઝોડું માત્ર 440 કિલોમીટર દૂર છે, જ્યારે નલિયાથી વાવાઝોડું માત્ર 530 કિલોમીટર દૂર છે.  પ્રચંડ ગતિ સાથે બિપરજોય વાવાઝોડું  આગળ વધી રહ્યુ છે.  


15 તારીખે બપોરે 2 વાગ્યે  વાવાઝોડું ટકરાશે


અરબી સમુદ્રમાં વાવાઝોડાની ગતિમાં સતત વધારો થઈ રહ્યો છે.  7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 15 તારીખે બપોરે 2 વાગ્યે  વાવાઝોડું ટકરાશે.   માંડવી પાસે વાવાઝોડું ટકરાશે.  વેરી સિવિયર સાયક્લોનિક સ્ટ્રોમ તરીકે વાવાઝોડું ટકરાશે. 


125થી 150 પવનની ગતિ રહેશે


વાવાઝોડું જ્યારે ટકરાશે ત્યારે 125થી 150 પવનની ગતિ રહેશે. દ્વારકાની પટ્ટીમાં 50થી 55 કિમીની પ્રતિ કલાકે પવન ફૂંકાશે.  15 તારીખથી પવનની ગતિમાં જોરદાર વધારો આવશે. સૌરાષ્ટ્ર અને કચ્છનાં કાંઠા વિસ્તારમાં તોફાનની તિવ્ર ગતિ રહેશે.  સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો પ્રભાવ રહેશે.