TRP Game zone Fire: શનિવારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન (TRP Game zone) લાગેલી ભીષણ આગમાં 27 લોકો જીવતા ભૂંજાયા હતા. સંવેદના ઝંઝોળી દેતી આ ઘટના મુદ્દે  જાણીતા કથાકાર મોરારિબાપુએ પણ નિવેદન આપ્યું છે. જાણીએ મારારિ બાપુએ ઘટનાને લઇને શું કહ્યું,


 શનિવારે ટીઆરપી ગેમ ઝોનમાં (TRP Game zone) લાગેલી આગે એક નહિ પરંતુ 27 લોકોનો ભોગ લીધો છે. જ્યારે કેટલાક લોકો હજુ પણ લાપતા છે. જેના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઇ શકે છે.  આગ એટલી ભીષણ હતી કે, પ્રત્યક્ષદર્શીના કહેવા મુજબ એક મિનિટમાં આગે આખા ગેઇમ ઝોનને બાનમાં લઇ લીધું હતું અને બાદ બ્લાસ્ટ થતાં 27 લોકો આગમાં જીવતા સળગ્યાં. મૃતકમાં બાળકો અને યંગસ્ટર્સની સંખ્યા વધારે છે. હૃદયને હચમચાવી દેતી આ ઘટનાને લઇને મોરારિબાપુએ પણ મૃતકના પરિવાર પ્રત્યે સંવેદન વ્યક્ત કર્યું છે. જો કે આ સાથે મોરારિબાપુએ માતા પિતાને પણ બાળકોનું ધ્યાન રાખવા ટકોર કરી હતી. આ દુર્ઘટનામાં સહાય માટે પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. 


 



ઉલ્લેખનિય છે કે, હાલ ગોંડલમાં મોરારિ બાપુની કથા ચાલી રહી છે. આ દરમિયાન ગોંડલી નજીક રાજકોટમાં બનેલી આ ઘટનાને લઇને કથાકાર મોરારિ બાપુએ ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.અને મૃતકોને શ્રદ્ધાજલિ આપી હતી.                                                                               


શું છે સમગ્ર ઘટના


શનિવાર સાંજે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી હતી. આ આગ ક્યા કારણે લાગી તેનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ આગ એટલી વિકરાળ હતી કે, એક મિનિટમાં આખા ટીઆરપી ગેમ જોનને તેને બાનમાં લઇ લીઘું અને એક મિનિટમાં જ 27 લોકો અંદર બળીને ખાક થઇ ગયા. આગ એટલી ભીષણ હતી કે, કોઇના મૃતદેહ ઓળખવા પણ મુશ્કેલ છે. ડીએનએ બાદ જ તમામ પરિજનને તેમના સ્વજનના મૃતદેહ સોપાશે. સમગ્ર ઘટનાને લઇએ એસઆટીની શરૂ થઇ છે. જિજ્ઞા બા જેવા અનેક પરિવાર છે. જે આંસુભરી આંખે તેના પરિવારની ભાળ મેળવા આતુર છે.