વલસાડ જિલ્લામાં આજે 2.8ની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ધરમપુર વિસ્તારમાં વહેલી સવારે એક હળવો આંચકો અનુભવાયો હતો. હાલ 3.11 કલાકે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ છે. ધરમપુરનાં આસુર તેમજ બામટી વિસ્તારમાં આ આંચકાઓ અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભય અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.
વલસાડના કલેક્ટરે ટ્વીટ કરીને ભૂકંપના હળવા આંચકાને કારણે લોકોને નહી ગભરાવા માટેની સલાહ આપી છે.