Fair Price Shop Owners strike Live Updates: સસ્તા અનાજ દુકાનદારોને સરકારની ચેતવણી, બાવળિયાએ કહ્યુ- વ્યાજબી માંગ હશે તો જ સ્વીકારાશે

આજથી રાજ્યમાં સસ્તા અનાજના 17 હજાર દુકાનદારોની હડતાળ પર ઉતર્યા હતા.

gujarati.abplive.com Last Updated: 01 Nov 2023 12:40 PM
સસ્તા અનાજ દુકાનદારોને સરકારની ચેતવણી

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી  કુંવરજીભાઈ બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. દુકાનદારો અમારા પરિવારના સભ્ય સમાન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. કોઈને ગેરસમજણ હશે તો તેને દૂર કરાશે. દુકાનદારોની વાજબી વાતને સરકાર ખુલ્લા મને સ્વીકારશે. સમાધાન થયુ ત્યારે 300 કાર્ડની જ વાત થઈ હતી. કાર્ડની સંખ્યામાં કોઈપણ સુધારો વધારો થયો નથી. દુકાનદારો સાથે સરકાર બેસવા માટે તૈયાર છે. વાજબી માંગો હશે તે સ્વીકારવામાં આવશે. સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. ગરીબોને અનાજ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બેઠક પણ કરી લીધી છે.

હડતાળને લઈને સરકારની સ્પષ્ટતા 

સસ્તા અનાજની દુકાનદારોની હડતાળને લઈને સરકારે સ્પષ્ટતા કરી હતી. 30 સપ્ટેમ્બરે સરકાર, દુકાનદાર એસો.ની બેઠક મળી હતી. 300થી ઓછા કાર્ડ હોય તો 20 હજારમાં ઘટતી રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો.ઘટતી તફાવતના 3.44 કરોડ ચૂકવાયા હોવાનો સરકારે દાવો કર્યો હતો. તહેવારોમાં દુકાનધારકોને હડતાળ ન કરવા સરકારે અનુરોધ કર્યો હતો. 

સસ્તા અનાજની દુકાનદારો ધારકોની હડતાળ સામે સરકાર એક્શનમાં

સસ્તા અનાજની દુકાનદારો ધારકોની હડતાળ સામે સરકાર એક્શનમાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બેઠક યોજી હતી. અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સરકાર દુકાન ધારકો સામે નમતું જોખવા તૈયાર નથી.  સરકારે નવેમ્બર મહિનામાં દુકાનો શરૂ રાખવા અપીલ કરી હતી. હડતાળ પૂર્ણ કરી દુકાનો ચાલુ રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે

ભાવનગર જિલ્લામાં રાશનના દુકાનદારો પણ હડતાળમાં જોડાયા

ભાવનગર જિલ્લામાં રાશનના દુકાનદારો પણ હડતાળમાં જોડાયા હતા. હડતાળ શરૂ થતા સામાન્ય પરિવારોને સસ્તા ભાવે અનાજનો પુરવઠો મળશે નહીં.ભાવનગર શહેર અને જિલ્લામાં કુલ ૭૦૦ રાશનની દુકાનો આવેલી છે.

અમદાવાદ શહેરમાં 800થી વધારે વ્યાજબી ભાવની દુકાનો બંધ

હડતાલમાં રાજ્યની 17000 જેટલી દુકાનો જોડાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 800થી વધારે વ્યાજબી ભાવની દુકાનો બંધ હોવાનો એસોસિએશનનો દાવો છે. અનાજના સપ્લાય, સર્વરમાં ખામી અને કમિશન વધારવા જેવી બાબતોને લઈને હડતાળ પર ઉતર્યા છે.


દિવાળી પહેલા મધ્ય મને ગરીબ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા

રાજકોટમાં સસ્તા અનાજની દુકાનોની બહાર લોકો પહોંચ્યા હતા. લોકોએ કહ્યું સરકાર અને સસ્તા અનાજના દુકાનદારોની લડાઈમાં અમે અનાજ ક્યાંથી મેળવીએ. દિવાળી પહેલા મધ્ય મને ગરીબ વર્ગના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. વારંવાર સસ્તા અનાજ ની દુકાનો બંધ થતી હોવાના કારણે ગરીબ વર્ગના લોકો અનાજથી વંચિત રહે છે.

જન્માષ્ટમીના તહેવાર ઉપર થયેલું સરકાર સાથેનું સમાધાન ભાંગી પડ્યું હતું. રાજકોટ શહેર અને જિલ્લાના 750 દુકાનદારો આજે હડતાલ પર ઉતર્યા હતા.

અરવલ્લી જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારો પણ હડતાળમાં જોડાયા

અરવલ્લી જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારો પણ હડતાળમાં જોડાયા હતા. જિલ્લામાં 396 સસ્તા અનાજની દુકાનો બંધ છે. સસ્તા અનાજ ના દુકાનદારોની પડતર માંગણીઓને લઈને હડતાલ પર ઉતર્યા છે

સાબરકાંઠા જિલ્લાની 514 સસ્તા અનાજની દુકાન સંચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર

સાબરકાંઠામાં પણ દિવાળીના તહેવારો અગાઉ સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે. ફેર પ્રાઈઝ શોપ સંચાલકોની માંગણીઓ ને લઈ સંચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર છે. સાબરકાંઠા જિલ્લાની 514 સસ્તા અનાજની દુકાન સંચાલકો અચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા હતા.

જામનગર શહેરના 90 અને જિલ્લાના 300 દુકાનદારો હડતાલ પર

જામનગરમાં પણ 20 હજાર પગારની માંગણી સાથે આજથી સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા. તહેવારો સમયે જ ગરીબોને રેશનિંગનું અનાજ મળશે નહીં. દરેક સસ્તા અનાજના દુકાનદારને ઓછામાં ઓછું 20 હજાર નું કમિશન અથવા પગાર મળે તેવી માંગણી કરી હતી. જામનગર શહેરના 90 અને જિલ્લાના 300 દુકાનદારો આજે હડતાલ પર છે.

વડોદરા શહેર અને જિલ્લામાં જોવા મળી હડતાળની અસર

વડોદરા શહેર અને જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાનના દુકાનદારો હડતાળમાં જોડાયા હતા. ફેર પ્રાઈઝ શોપ એસો.ના પ્રમુખ જીતેન્દ્ર નંદાએ નિવેદન આપ્યું હતું કે શહેર જિલ્લા ની 800 દુકાનો હડતાળના કારણે બંધ છે.તહેવાર ટાણે 3 લાખ થી વધુ લોકોને મફત અનાજ નહીં મળે. સપ્ટેમ્બર માસમાં સરકારે અમારી સાથે બેઠક કરી હતી. બાદમાં 300 થી ઓછા રાશન કાર્ડ ધરાવનારને જ 20000 કમિશન અપાયું હતું. 500 થી વધુ રાશન કાર્ડ ધરાવનારનું કમિશન વધારવાની કોઈ જાહેરાત થઇ નથી.

જેતપુર તાલુકા ની તમામ સસ્તા અનાજની દુકાનના માલિકો હડતાલમા જોડાયા

રાજકોટ જિલ્લાની જેતપુર તાલુકા ની તમામ સસ્તા અનાજની દુકાનના માલિકો હડતાલમા જોડાયા હતા. જેતપુરની 75 જેટલી સસ્તા અનાજની દુકાનોના માલિક પડતર માંગણીને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે. 20 હજાર પગારની માંગણી સાથે જેતપુરના 75 સસ્તા અનાજની દુકાનોના માલિકો હડતાલ ઉપર ઉતર્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારો હડતાળમાં જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા. અનાજનો જથ્થો સમયસર અને પૂરતો આપવો, રૂપિયા ૨૦૦૦૦ કમિશન ખાતામાં સમયસર જમા કરવું. ફિંગરપ્રિન્ટ નહિ આવતા રેશનકાર્ડ ધારકો સાથે ઘર્ષણ ન થાય તે માટે સર્વરની ખામી દૂર થાય સહિતની માંગો પુરી ન થતા આજથી હડતાળમાં જોડાયા હતા. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની અંદાજે ૧૫૦ થી વધુ અને જિલ્લાની ૫૦૦ થી વધુ સસ્તા અનાજની દુકાનદારો હડતાળમાં જોડાયા  હતા. સસ્તા અનાજની ૫૩૬ દુકાનો આજથી બંધ રહેશે. સસ્તા અનાજની દુકાનદારોની હડતાળને પગલે રેશનકાર્ડ ધારકોને દિવાળી ટાણે જ અનાજ નહિ મળતાં રોષ ફેલાયો હતો.

અમરેલીમાં સસ્તા અનાજની દુકાનો બંધ જોવા મળી

અમરેલીમાં દિવાળીના તહેવારો પર જ સસ્તા અનાજની દુકાનો બંધ થઇ ગઇ છે. અમરેલી જિલ્લાના 572 જેટલા દુકાનદારો પણ હડતાળમાં જોડાયા હતા. દુકાનદારો ની પડતર માંગણીઓ નહી સંતોષાતાં આખરે હડતાળ પર ઉતર્યા હતા. જિલ્લાના દુકાનદારો હડતાલ પર ઉતરતા આંગણવાડી અને મધ્યાહન ભોજન કેન્દ્રો પર અસર પડી શકે છે.

બ્રેકગ્રાઉન્ડ

આજથી રાજ્યમાં સસ્તા અનાજના 17 હજાર દુકાનદારોની હડતાળ પર ઉતર્યા હતા. મળતી જાણકારી અનુસાર, રાજ્યના ગરીબોની દિવાળી બગડી શકે છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે વચન ન પાળતા આખરે સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા છે. દુકાનદારોની અચોક્કસ મુદ્દતની હડતાળના કારણે દિવાળી સમયે ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાશનથી વંચિત રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.


સસ્તા અનાજના દુકાનદારોનો દાવો છે કે આ પહેલા અસરકાર આંદોલન કરવામાં આવ્યું હતુ ત્યારે સરકારે વચન આપ્યું હતું કે ત્રણસોથી ઓછા રાશન કાર્ડ હશે તે દુકાનદારને મહિને વીસ હજાર રુપિયા આપવામાં આવશે. જો કે હજુ સુધી સરકારે આ વચન પૂર્ણ કર્યું નથી. આ જ પ્રમાણે અનાજની ઘટ સમસ્યા મુદ્દે પણ અનેક વાર રજૂઆત કરવામાં આવી હતી. એક બોરીએ ત્રણથી ચાર કિલો અનાજની ઘટ પડી રહી છે જેના પરિણામે દુકાનદારોને આર્થિક ખોટનો સામનો કરવો પડી રહ્યો છે. દુકાનદારોને કમિશનની આવક થઇ રહી નથી અને પોતાના ખિસ્સામાંથી દુકાનદારોએ રૂપિયા આપવા પડે છે. નિયમિત રીતે અનાજનો જથ્થો પણ મળતો નથી.


એટલું જ નહીં ડિજીટલાઈઝેશનના કારણે અનેક જગ્યાએ સર્વરના પણ ઠેકાણા હોતા નથી. દરરોજ સર્વર ખોટકાય જવાની ઘટના બનતી રહે છે ત્યારે રાશન કાર્ડ ધારકો અને દુકાનદારો વચ્ચે ઝઘડા પણ થાય છે. ત્યા આ તમામ સમસ્યાનો સરકાર ઉકેલ લાવે તેવી માંગ સાથે સરકાર સામે દુકાનદારોએ બાંયો ચઢાવી હતી.


અમરેલીમાં દિવાળીના તહેવારો પર જ સસ્તા અનાજની દુકાનો બંધ થઇ ગઇ છે. અમરેલી જિલ્લાના 572 જેટલા દુકાનદારો પણ હડતાળમાં જોડાયા હતા. દુકાનદારો ની પડતર માંગણીઓ નહી સંતોષાતાં આખરે હડતાળ પર ઉતર્યા હતા. જિલ્લાના દુકાનદારો હડતાલ પર ઉતરતા આંગણવાડી અને મધ્યાહન ભોજન કેન્દ્રો પર અસર પડી શકે છે.


સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સસ્તા અનાજના દુકાનદારો હડતાળ પર ઉતર્યા હતા. અનાજનો જથ્થો સમયસર અને પૂરતો આપવો, રૂપિયા ૨૦૦૦૦ કમિશન ખાતામાં સમયસર જમા કરવું. ફિંગરપ્રિન્ટ નહિ આવતા રેશનકાર્ડ ધારકો સાથે ઘર્ષણ ન થાય તે માટે સર્વરની ખામી દૂર થાય સહિતની માંગો પુરી ન થતા આજથી હડતાળમાં જોડાયા હતા. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારની અંદાજે ૧૫૦ થી વધુ અને જિલ્લાની ૫૦૦ થી વધુ સસ્તા અનાજની દુકાનદારો હડતાળમાં જોડાયા  હતા. સસ્તા અનાજની ૫૩૬ દુકાનો આજથી બંધ રહેશે. સસ્તા અનાજની દુકાનદારોની હડતાળને પગલે રેશનકાર્ડ ધારકોને દિવાળી ટાણે જ અનાજ નહિ મળતાં રોષ ફેલાયો હતો.


રાજકોટ જિલ્લાની જેતપુર તાલુકા ની તમામ સસ્તા અનાજની દુકાનના માલિકો હડતાલમા જોડાયા હતા. જેતપુરની 75 જેટલી સસ્તા અનાજની દુકાનોના માલિક પડતર માંગણીને લઈ હડતાલ ઉપર ઉતર્યા છે. 20 હજાર પગારની માંગણી સાથે જેતપુરના 75 સસ્તા અનાજની દુકાનોના માલિકો હડતાલ ઉપર ઉતર્યા હતા.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.