અમરેલીઃ ગુજરાતમાં અત્યારે 60 વર્ષથી વધુની ઉંમરના લોકોને કોરોનાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલીબેન, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપરાંત મંત્રીઓએ પણ કોરોનાની રસી લીધી છે. ત્યારે આજે સાવરકુંડલા ખાતે કથાકાર મોરારી બાપુએ પણ કોરોનાની રસી લીધી હતી. 


શેઠ લલ્લુભાઇ આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના વેકસીન લીધી હતી. આરોગ્ય વિભાગના સ્ટાફ સહિતના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. લોકોને વેકસીન લેવા માટે અપીલ કરી છે.