મોરબીઃ 500 અને 1000 નોટબંધને આજે 11 દિવસ થઇ ગયા છે ત્યારે નોટ બંધીની સૌથી વધુ અસર સહકારી બેંકોમાં થઇ રહી છે. સહકારી બેંકોમાં ખેડૂતો લેવડ દેવડ કરતા હોય છે. પરંતુ આરબીઆઇએ સહકારી બેંકોમાં ચલણી નોટો બદલનો અને સ્વીકારવાનો ઇન્કાર કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા.


આરબીઆઇના આ નિર્ણયનો વિરોધ સમગ્ર રાજ્યમાં કરવામાં આવી રહ્યો છે. સહકારી બેંકોને ફરી લેવડ દેવડ શરૂ કરવા માટે યોગ્ય ન્યાયની માગં સાથે ખેડૂતોએ મોરબીમાં અધિક કલેક્ટરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી. આને એક અઠવાડિયામાં આ મામલે કોઇ કાર્યવાહી નહી કરવામાં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવાની ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.