અમદાવાદ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ  નજીક આવી રહી છે  ત્યારે રાજકીય નેતાઓના પ્રવાસ શરુ થયા છે. કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત આવશે.  ગુજરાતના સ્થાપના દિવસ 1લી મેના દિવસ રાહુલ ગાંધી ગુજરાત આવશે.  આ દરમિયાન રાહુલ ગાંધી દાહોદમાં સભા સંબોધશે.  


રાહુલ ગાંધી આદિવાસી અધિકાર યાત્રાની દાહોદથી શરૂઆત કરાવશે.  2022ની ચૂંટણીના અનુસંધાને કોંગ્રેસ આદિવાસી અધિકાર યાત્રા યોજાશે.  આવતીકાલે દાહોદમાં આદિવાસી અધિકાર યાત્રાના આયોજન અંગે બેઠક મળશે.   આ બેઠકમાં કોંગ્રેસના તમામ આદિવાસી ધારાસભ્યો હાજર રહેશે.  આદિવાસી વિસ્તારના અન્ય સમાજના ધારાસભ્યો પણ હાજર રહેશે.  ગુજરાત કૉંગ્રેના અધ્યક્ષ  જગદીશ ઠાકોર અને પ્રભારી રઘુ શર્માની અધ્યક્ષતામાં  આ  બેઠક મળશે. 


 


ભાજપ પણ આમ આદમી પાર્ટીના પગલે, આ રાજ્યની ભાજપ સરકારે 125 યુનિટ મફત વીજળી આપવાની કરી જાહેરાત



હિમાચલમાં યોજાનારી ચૂંટણી પહેલા ભાજપે જનતાને રીઝવવા માટે ફ્રી કાર્ડ ચલાવ્યું છે. હિમાચલ દિવસ પર મુખ્યમંત્રી જયરામ ઠાકુરે ચંબામાં આયોજિત કાર્યક્રમમાં મોટી જાહેરાતો કરી છે. હિમાચલ પ્રદેશના લોકોને ભેટ આપતા સીએમ જયરામ ઠાકુરે રાજ્યમાં 125 યુનિટ સુધી મફત ઘરેલું વીજળી આપવાની જાહેરાત કરી છે. આ સાથે હિમાચલની મહિલાઓને HRTC બસોના ભાડામાં 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોના પાણીના બિલ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે.


સીએમ જયરામ ઠાકુરની આ જાહેરાત બાદ હિમાચલમાં થનારી ચૂંટણી પર ઘણી અસર જોવા મળશે. 75મા હિમાચલ દિવસના રાજ્ય સ્તરીય સમારોહમાં આ જાહેરાત કરતી વખતે, સીએમ જયરામ ઠાકુરે કહ્યું કે પહેલા રાજ્યના લોકો માટે 60 યુનિટ સુધી વીજળી મફત હતી, પરંતુ હવે 125 યુનિટ સુધી વીજળી મફત આપવામાં આવશે. આ કાર્યક્રમમાં સીએમ જયરામ ઠાકુરે પોલીસ અને હોમ ડિફેન્સના જવાનોની ટુકડીઓ દ્વારા રજૂ કરાયેલ માર્ચ પાસ્ટની સલામી લીધી હતી. આ દરમિયાન સીએમ જયરામ ઠાકુર સાથે સ્પીકર વિપિન પરમાર અને વન મંત્રી રાકેશ પઠાણિયા પણ કાર્યક્રમમાં હાજર હતા.


સીએમ જયરામ ઠાકુરની આ જાહેરાત બાદ વિપક્ષી પાર્ટીઓને ચૂંટણીમાં ઘણું નુકસાન થઈ શકે છે. કારણ કે 125 યુનિટ મફત વીજળી આપવાથી રાજ્યની જનતાને 250 કરોડનો ફાયદો થશે. આ વખતે હિમાચલ ચૂંટણીમાં AAP પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે મેદાનમાં ઉતરી રહી છે, AAPનું માનવું છે કે પાડોશી રાજ્ય પંજાબમાં જીત બાદ હિમાચલના લોકો પણ પરિવર્તન ઈચ્છે છે.