અમરેલીઃ  અમરેલીના રાજુલા નજીક પટવા ગામે ચાર યુવકો નદીમાં તણાયા હતા. મળતી જાણકારી અનુસાર, સમઢીયાળા બંધારામાં ચાર યુવકો તણાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકોને બચાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. નદીમાં તણાયેલા બે યુવકોને બચાવી લેવામાં આવ્યા હતા જ્યારે બેના મોત થયા હતા. પીપાવાવ મરીન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.