ગિરનાર રોપવે થઈ ગયો તૈયાર, જાણો ક્યારથી ખુલ્લો મુકાશે જાહેર જનતા માટે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Sep 2020 08:00 AM (IST)
આ રોપ વૅ સાથે અંદાજે 16 કેબિન કનેક્ટ કરવામાં આવશે. આ કેબિનમાં એક સાથે 16 જણ ઉપર જઈ શકશે.
જૂનાગઢઃ રાજ્યના મોટા યાત્રાધામ ગણાતા ગિરનાર પર જવા માગતા શ્રદ્ધાળુઓ માટે તૈયાર કરવામાં આવી રહેલો રૉપ વે પહેલા નોરતે ખુલ્લો મૂકવાની સરકારની યોજના છે. દરિયાની સપાટીથી અંદાજે 3500થી 3700 મીટર ઊંચાઈ સુધી રોપ વૅની મદદથી જઈ શકાશે. આ રોપ વૅ સાથે અંદાજે 16 કેબિન કનેક્ટ કરવામાં આવશે. આ કેબિનમાં એક સાથે 16 જણ ઉપર જઈ શકશે. રોપ વૅ ચાલુ થયા પછી યાત્રાળુ નવ જ મિનિટમાં ઉપર પહોંચી જશે. આ રોપ વે સતત ફરતો જ રહેશે. તેમાં ઉપર પહોંચેલા યાત્રાળુને ઉતારતા ખાલી પડેલી કેબિનમાં પાછા ઉતરવા માગતા યાત્રાળુઓને બેસાડીને લઈ આવવામાં આવશે. યાત્રાળુઓને ઉપર દર્શન કરવા માટે એકાદ કલાક સુધી રહેવાનો અવસર આપવામાં આવશે. ત્યારબાદ તેમને તે જ રોપવેમાં પાછા લઈ આવવામાં આવશે.