રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટશે, ચોમાસાની વિદાયને લઈને હવામાન વિભાગે શું કરી છે આગાહી, જાણો વિગતે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Sep 2020 07:23 AM (IST)
દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ સહીતમાં વરસાદની શક્યતા છે.
પ્રતિકાત્મક તસવીર
અમદાવાદઃ રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા અને રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. જો કે પાંચ દિવસ છુટોછવાયો સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે. રાજયમાં સીઝનનો 134 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજયમાં સત્તાવાર રીતે ચોમાસુ પૂર્ણ થયાની હજી સુધી કોઈ જાહેરાત કરવામા આવી નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ સહીતમાં વરસાદની શક્યતા છે. જોકે આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે છે. જેથી આવતીકાલથી રાજયમાં સામાન્ય વરસાદી ઝાપટા પાડવાની શક્યતા છે. આ વર્ષે ચોમાસાના વિદાયમાં હજી વિલબ થશે એવું હવામાન વિભાગનું અુમાન છે. બીજા બાજુ થોડા દિવસથી પડી રહેલ વરસાદને પગલે ભાવનગરના મહુવાનો માલણ ડેમ ફરી એકવાર ઓવરફ્લો થયો છે. મહુવા તાલુકામાં સારા વરસાદના પગલે માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને ફાયદો થશે.