Gujarat Assembly Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વિધાનસભા ચૂંટણી પહેલા પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા સક્રિય થશે. પૂર્વ મુખ્યમંત્રી શકરસિંહ વાઘેલા વિધાનસભા ચૂંટણી પહેલા પોતાની અલગ પાર્ટી બનાવશે. વિધાનસભા ચૂંટણી પહેલા બાપુ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને આવશે. થોડા દિવસોમાં જ શકરસિંહ વાઘેલા પાર્ટી બનાવવાની જાહેરાત કરશે. 2017 વિધાનસભા ચૂંટણીમાં પણ બાપુ જન વિકલ્પ ના નામે પાર્ટી ઉભી કરી હતી. હવે ફરી એક વખત પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને  શકરસિંહ વાઘેલા આવશે.


બરવાળા લઠ્ઠાકાંડ મુદ્દે શું બોલ્યા હતા બાપુ


બરવાળા લઠ્ઠાકાંડ વખતે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું, ગુજરાતમાં ઠેરઠેર દારૂ વેચાય છે. માત્ર નામની જ દારૂબંધી છે. માત્ર નામની દારૂબંધી રાખવાનો શુ મતલબ. કેમ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી લેવાતી નથી. વાઈબ્રન્ટ ગુજરાતના નામે કરોડોનો ખર્ચો કરીને ગુજરાતને વાઈબ્રન્ટ મોડ પર મૂકનારી ગુજરાતની આ સરકારે  લઠ્ઠાકાંડની ઘટના પરથી સરકારે બોધપાઠ લેવો જોઈએ કે દારૂબંધી અને નશો શું ચીજ છે. આ પહેલીવાર નથી બન્યુ. આ પહેલા પણ અનેક લોકો ઝેરી દારૂ પીને મરી ગયા છે. ગાંધીજીના નામે ગુજરાત ધતિંગવાળી નશાબંધીવાળી નીતિ છોડી શક્તુ નથી. ગુજરાત ઉડતુ ગુજરાત બની રહ્યું છે. રાજ્યમાંથી દારૂબંધી કાઢી નાખવી જોઇએ. લાખો કરોડોનો વેપાર ખોટા ખિસ્સાઓમાં જઇ રહ્યો છે. પોલીસકર્મીને સસ્પેન્ડ કરવાથી કંઇ નહીં થાય મુખ્ય શખ્સોને પકડો. દારૂબંધી હટશે તો લાખો કરોડો સરકારની તિજોરીમાં આવશે.


આ પણ વાંચોઃ


India Coronavirus Case : દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ઘટીને થયો એક લાખથી ઓછો, જાણો છેલ્લા 24 કલાકની સ્થિતિ


ખુશી કપૂરની તસવીરો જોઈ સોશિયલ મીડિયા યૂઝર્સને આવી ઉર્ફી જાવેદની યાદ, દીપિકા પાદુકોણે કરી કમેંટ


દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયા સામે લુકઆઉટ નોટિસ