ગાંધીનગરઃ રાજ્યમાં કોવિડ-19ના આજે 1049 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3773 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,409 એક્ટિવ કેસ છે, જ્યારે 1,66,468 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,478 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,82,719 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, રાજકોટ 1,સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 5 લોકોનાં કરૂણ મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 166, સુરત કોર્પોરેશનમાં 149, વડોદરા કોર્પોરેશનમાં 80, રાજકોટ કોર્પોરેશનમાં 79, મહેસાણામાં 53, રાજકોટ-49, બનાસકાંઠા-39, વડોદરામાં 39, પાટણમાં 36, સુરતમાં 34, ગાંધીનગર કોર્પોરેશનમાં 34, જામનગર કોર્પોરેશન-24, અમેરલી અને જામનગરમાં 20-20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 879 દર્દી સાજા થયા હતા અને 52,960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 65,72,903 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.11 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,96,526 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,96,436 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 90 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.