ગાંધીનગર:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 15 નવા કેસ સામે આવ્યા છે. આજે કોરોના સંક્રમણથી રાજ્યમાં એક   મોત થયું છે.   રાજ્યમાં હાલ 184 એક્ટિવ કેસ છે અને 5  દર્દી વેન્ટિલેટર પર છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.76 ટકા છે.   રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. તો બીજી તરફ રસીકરણ (Vaccination) ના મોરચે પણ સરકાર ખુબ જ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 3,97,524 દર્દીઓનું રસીકરણ થયું છે.  રાજ્યમાં અત્યાર  સુધીમાં 4,26,66,652 લોકોનું રસીકરણ કરાયું છે. આજે રાજ્યમાં 16 દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા હતા. આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના કારણે 8,15,024 દર્દીઓએ કોરોનાને હાર આપી હતી. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.76 ટકા જેટલો છે.



રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો હાલ કુલ 184 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે. 179 સ્ટેબલ છે. અત્યાર સુધી કોરોનાની સારવાર લઇને 8,15,024 નાગરિકો સાજા થઇ ચુક્યા છે. 10079 નાગરિકોનાં અત્યાર સુધીમાં કોરોના (Covid) ને કારણે મોત થઇ ચુક્યા છે. જો કે આજે કોરોનાને કારણે એક મોત થયું છે. ઘણા લાંબા સમય બાદ આજે રાજકોટમાં કોરોના સંક્રમણથી એક મોત થયું છે.  વડોદરા કોર્પોરેશનમાં 5, અમદાવાદ કોર્પોરેશનમાં 4 , સુરત કોર્પોરેશન 3, આણંદ 1, ભાવનગર  કોર્પોરેશનમાં 1 અને રાજકોટ 1 કેસ સાથે કુલ 15 કેસ નોંધાયા છે.



જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 28 કર્મચારીઓને રસીનો પ્રથમ ડોઝ અને 5378 કર્મચારીને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 45 વર્ષથી વધારેની ઉંમરના 68939 નાગરિકોને રસીનો પ્રથમ અને 58270 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષ સુધીના 215908 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 49001 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 3,97,524 કુલ રસીના ડોઝ આજના દિવસમાં અપાયા છે. અત્યાર સુધીમાં 4,26,66,652 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.