ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 162   કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 2049  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 23 લોકો વેન્ટીલેટર પર છે. 2026 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1209534 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,928 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 2 લોકોના મોત થયા છે.


અમદાવાદ કોર્પોરેશનમાં 77, વડોદરા કોર્પોરેશનમાં 20, વડોદરા 15, રાજકોટ 6, સુરત  કોર્પોરેશનમાં 5, ગાંધીનગર કોર્પોરેશન 4, સુરત 4, આણંદ 3, જામનગર 3, અમદાવાદ 2, અરવલ્લી 2, બનાસકાંઠા 2, દાહોદ 2, ખેડા 2, કચ્છ 2 અને તાપીમાં 2 કોરોના વાયરસના  કેસ નોંધાયા છે.


આજે 386 દર્દીઓ રિકવર થયા 


બીજી તરફ આજે 386 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.94  ટકાએ પહોંચ્યો છે. આજે 28118 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 2 લોકોના મોત થયા છે.   વડોદરા કોર્પોરેશનમાં 2 કોરોના દર્દીનું મોત થયું હતું.


રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 4 ને પ્રથમ ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 655 ને પ્રથમ અને 1956  ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 2332 ને પ્રથમ અને 10707 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 686 ને પ્રથમ અને 8894 ને બીજો ડોઝ અપાયો હતો. 2884 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 28,118  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,29, 52,792 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.