ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના નવા 19  કેસ નોંધાયા છે. બીજી તરફ 15  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,220 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.76 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે  2,49,699 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે વડોદરા કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશનમાં 4, આણંદમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, વલસાડમાં 2, રાજકોટમાં 1 કેસ નોંધાયો હતો.જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 173  કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 168 નાગરિકો સ્ટેબલ છે. 8,16,220 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10088 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું નથી. આજે  2,49,699 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 3 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1481 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 10704 નાગરિકોને રસીનો પ્રથમ અને 58733 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 34135 નાગરિકોને રસીનો પ્રથમ અને 144643 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 2,49,699 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 6,95,77,969 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદાવાદ, અમદાવાદ કોર્પોરેશન,   અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, કચ્છ,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર,સાબરકાંઠા, સુરત,   સુરેન્દ્રનગર, તાપી,  વડોદરા  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.