ગાંધીનગરઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આગામી 28, 29 અને 30 તારીખે રાષ્ટ્રપતિ ગુજરાતના પ્રવાસે આવશે. તેઓ અમદાવાદ ગાંધીનગર અને ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. રાષ્ટ્રપતિ બે દિવસ રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આવતીકાલે ગુજરાત આવશે. તેઓ સૌ પ્રથમ અમદાવાદ પહોંચશે ત્યારબાદ રાષ્ટ્રપતિ રાજભવન-ગાંધીનગર આવશે. સાંજે રાજભવન ખાતે હાઈકોર્ટના ન્યાયાધીશો સાથે શુભેચ્છા મુલાકાત કરશે અને રાજ ભવન ખાતે જ રાત્રી રોકાણ કરશે. રાષ્ટ્રપતિ તારીખ ૨૯ ઓક્ટોબરે સવારે રાજભવનથી ભાવનગર જવા રવાના થશે.  ભાવનગરના તલગાજરડા ખાતે મોરારિબાપુના આશ્રમની મુલાકાત લેશે અને ભાવનગર ખાતે ૧૦૮૮ જેટલા EWS-PM આવાસોનું લોકાર્પણ કરશે જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજર રહેશે. તારીખ ૩૦મી ઓકટોબરે રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના થશે.


પોલીસ ગ્રેડ પેને લઇને મંત્રી વાઘાણીએ શું કહ્યું?


ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેને લઈને આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે આજે શિક્ષણ મંત્રી અને સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ પોલીસ આંદોલન અંગે મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, કાયદો અને વ્યવસ્થાની મુશ્કેલી ન પડે તે બાબત પર ધ્યાન રાખવામાં આવે. સાચી બાબત જે પણ હશે તે બાબતે સરકાર હકારાત્મક છે. કોઈપણ આંદોલનથી સામાન્ય નાગરિકને તકલીફ પડશે તો ચલાવી નહીં લેવાય.


 


ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારે ડ્રાઇવિંગ લાયન્સને લઈને મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયનો સીધો લાભ લોકોને થવાનો છે. ભૂપેન્દ્ર પટેલ સરકારે ડૂપ્લીકેટ લાયસન્સ અને લાયન્સ રિન્યુ કરવા મુદ્દે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ આ મુદ્દે આજે મોટી જાહેરાત કરી હતી. 


 


જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ડ્રાઇવિંગ લાયસન્સ સંબંધિત ચાર સેવાઓ ઇ-ગ્રામ મારફતે શરૂ કરાશે. ડુપ્લિકેટ લાયસન્સ, રિન્યુઅલ ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઇ-ગ્રામ પરથી અરજી કરી શકાશે. સામાન્ય ચાર્જમાં અરજદાર ઇ-ગ્રામ પર અરજી કરી શકશે. વીસીને 20 રૂપિયાનો ચાર્જ ચૂકવી ઇ-ગ્રામ પર ચાર પ્રકારની અરજી કરી શકાશે.


 


વાઘાણીએ કહ્યું કે, ટેકાના ભાવથી મગફળી વેંચવા પર 2.53 લાખ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું. રાજ્યના ખેડૂતો ટેકાના ભાવથી મગફળી વેચવા 31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. સેવા સેતુના કાર્યક્રમની સરકારની કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ. સેવા સેતુ કાર્યક્રમનો લાખો લોકોએ લાભ લીધો છે. શિક્ષણ વિભાગના કર્મચારીઓએ 4 કરોડ કરૂપિયાની ખાદી ખરીદી છે. એક જ દિવસમાં 1.17 લાખ મીટર ખાદીનું વેચાણ થયું.