ગાંધીનગરઃ ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કોરોનાનો કહેર જોવા મળી રહ્યા છે.  રાજ્યમાં સતત બીજા દિવસે 1300થી વધારે કેસ નોંધાયા હતા. આજે 1305 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 12 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3048 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15,948  એક્ટિવ કેસ છે, જ્યારે 80,054 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 94 દર્દી વેન્ટીલેટર પર છે અને 15,854 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 99,050 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે  સુરતમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગરમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1  મળી  કુલ 12  લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 176, અમદાવાદ કોર્પોરેશનમાં 149,   જામનગર કોર્પોરેશનમાં 125, રાજકોટ કોર્પોરેશનમાં 89, સુરતમાં 89, વડોદરા કોર્પોરેશનમાં 89, રાજકોટમાં 54, વડોદરામાં 36, પંચમહાલમાં 34, ભાવનગર કોર્પોરેશનમાં 27, અમરેલીમાં 26, જામનગરમાં 25, મહેસાણામાં 24, ભરૂચમાં 23, ભાવનગરમાં 21, ગાંધીનગરમાં 21, અમદાવાદ અને મોરબીમાં 20-20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1141 દર્દી સાજા થયા હતા અને 74,523 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે  રાજ્યમાં અત્યાર સુધીમાં 24,84,429  ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 80.82 ટકા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,52,772 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,52,334 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 420 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.