Gujarat Corona Cases Update: રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1.61 લાખને પાર, આજે 1126 નવા કેસ નોંધાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Oct 2020 07:56 PM (IST)
આજે રાજ્યમાં 1126 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3654 પર પહોંચ્યો છે.
ગાંધીનગરઃ આજે રાજ્યમાં 1126 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 8 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3654 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,267 એક્ટિવ કેસ છે, જ્યારે 1,43,927 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 76 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,191 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,61,848 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહેસાણા 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 8 લોકોનાં મોત થયા હતા. ક્યાં કેટલા નોંધાયા કેસ સુરત કોર્પોરેશનમાં 167, અમદાવાદ કોર્પોરેશનમાં 164, રાજકોટ કોર્પોરેશનમાં 72, વડોદરા કોર્પોરેશનમાં 71, સુરતમાં 64, જામનગર કોર્પોરેશનમાં 46, મહેસાણામાં 46, વડોદરામાં 42, નર્મદા 33, રાજકોટમાં 32, સુરેન્દ્રનગર 30, સાબરકાંઠા 28, બનાસકાંઠા 26, જામનગર 25, ગાંધીનગર કોર્પોરેશનમાં 23, અમરેલીમાં 20 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1128 દર્દી સાજા થયા હતા અને 52,915 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 54,79,536 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.93 ટકા છે.