ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહેસાણા 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 8 લોકોનાં મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 167, અમદાવાદ કોર્પોરેશનમાં 164, રાજકોટ કોર્પોરેશનમાં 72, વડોદરા કોર્પોરેશનમાં 71, સુરતમાં 64, જામનગર કોર્પોરેશનમાં 46, મહેસાણામાં 46, વડોદરામાં 42, નર્મદા 33, રાજકોટમાં 32, સુરેન્દ્રનગર 30, સાબરકાંઠા 28, બનાસકાંઠા 26, જામનગર 25, ગાંધીનગર કોર્પોરેશનમાં 23, અમરેલીમાં 20 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1128 દર્દી સાજા થયા હતા અને 52,915 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 54,79,536 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 88.93 ટકા છે.