ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1136 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3670 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,143 એક્ટિવ કેસ છે, જ્યારે 1,46,308 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 72 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,071 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,64,121 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, અમદાવાદમાં 1, છોટા ઉદેપુરમાં 1, રાજકોટમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 9 લોકોનાં મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 167, અમદાવાદ કોર્પોરેશનમાં 163, વડોદરા 79, રાજકોટ કોર્પોરેશન 71, સુરતમાં 64, મહેસાણા 47, જામનગર કોર્પોરેશન 40, વડોદરા કોર્પોરેશન 40, રાજકોટ 37, નર્મદા 34, સાબરકાંઠા 33, પાટણ 27, સુરેન્દ્રનગર 26, અમરેલી 25, જામનગર 25, કચ્છ 22, ગાંધીનગરમાં 20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1201 દર્દી સાજા થયા હતા અને 52,923 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 55,85,445 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 89.15 ટકા છે.