ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 2230   નવા કેસ નોંધાયા છે અને 29 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9790 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 7109 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 



રાજ્યમાં અત્યાર સુધી 7,57,124 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 38703 પર પહોંચ્યો છે. જેમાંથી 544 દર્દી વેન્ટિલેટર પર અને 38149 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 93.98  ટકા છે.  


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


વડોદરા કોપોરેશન 294,અમદાવાદ કોપોરેશન 281,  સુરત કોપોરેશન 184, વડોદરા 139, રાજકોટ કોર્પોરેશન 126,  જુનાગઢ 78, સુરત 75, ભરુચ 72, પોરબંદર 63, પંચમહાલ 59, રાજકોટ 58, નવસારી 56, બનાસકાંઠા 53, જામનગર કોર્પોરેશન 51, ખેડા 47, ગીર સોમનાથ 45, આણંદ 44, કચ્છ 44,  જુનાગઢ કોપોરેશન 42, અરવલ્લી 41, મહીસાગર 39, જામનગર 37, અમરેલી 35, વલસાડ 34, દેવભૂમિ દ્વારકા 27, મહેસાણા 27, સાબરકાંઠા 26, ગાંધીનગર કોર્પોરેશન 22,ભાવનગર કોર્પોરેશન 21, નર્મદા 19, ગાંધીનગર 18, ભાવનગર 17,  અમદાવાદ 12, દાહોદ 12, પાટણ 8, તાપી 6,  છોટા  ઉદેપુર 5,  બોટાદ 4 , સુરેન્દ્રનગર 4, મોરબી 3 અને ડાંગમાં 2 કેસ સાથે કુલ 2230  નવા કેસ નોંધાયા છે. 



ક્યાં કેટલા મોત થયા ?


વડોદરા કોપોરેશન 2, અમદાવાદ કોપોરેશન 6,  સુરત કોપોરેશન 2, વડોદરા 2, રાજકોટ કોર્પોરેશન 1,  જુનાગઢ 0, સુરત 3, ભરુચ 0, પોરબંદર 0, પંચમહાલ 1, રાજકોટ 1, નવસારી 0, બનાસકાંઠા 1, જામનગર કોર્પોરેશન 1, ખેડા 1, ગીર સોમનાથ 1, આણંદ 0, કચ્છ 0,  જુનાગઢ કોપોરેશન 0, અરવલ્લી 0, મહીસાગર 1, જામનગર 0, અમરેલી 0, વલસાડ 0, દેવભૂમિ દ્વારકા 0, મહેસાણા 1, સાબરકાંઠા 1, ગાંધીનગર કોર્પોરેશન 0,ભાવનગર કોર્પોરેશન 0, નર્મદા 0, ગાંધીનગર 1, ભાવનગર 1,  અમદાવાદ 1, દાહોદ 0, પાટણ 0, તાપી 0,  છોટા  ઉદેપુર 1,  બોટાદ 0 , સુરેન્દ્રનગર 0, મોરબી 0 અને ડાંગમાં  0  મોત  સાથે કુલ 29 મોત નોંધાયા છે. 


રાજ્યમાં આજે કુલ  1,97,993 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  93.98 ટકા છે.