ગાંધીનગર:  ગુજરાતમાં કોરોના વાયરસના (Gujarat Corona Cases) કેસમાં વધારો થયો છે. રાજ્યના ઘણા જિલ્લામાં કોરોના વાયરસના કેસ શૂન્ય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 23  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. કોરોનાને કારણે આજે એક દર્દીનું મોત થયું છે.  લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાથી મોત થયું છે. રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,720 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 



હાલમાં અત્યાર સુધી 204 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 05 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 199 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,720 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10077 લોકોનાં મોત થઇ ચુક્યા છે. કોરોનાને કારણે આજે એક દર્દીનું મોત થયું છે.  લાંબા સમય બાદ રાજ્યમાં કોરોનાથી મોત થયું છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 23  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 24 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.  રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના પ્રયાસોના લીધે 8,14,720 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ 98.75 ટકા જેટલો છે. 



આજે ક્યાં નોંધાયા કેસ



આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, આણંદ 4,  સુરત કોર્પોરેશનમાં 4,  વડોદરા કોર્પોરેશનમાં 3, અમરેલી 1, ભાવનગર 1,  જૂનાગઢમાં 1, ખેડા 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, વડોદરા 1 કેસ નોંધાયો હતો.


 


ક્યાં ન નોંધાયો એકપણ કેસ



આજે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર કોર્પોરેશન,બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ,જામનગર,  જામનગર કોર્પોરેશન,જૂનાગઢ કોર્પોરેશન,   કચ્છ, મહિસાગર, મહેસાણા,  મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડમાં એક પણ કોરોનાનો કેસ નથી નોંધાયો.