ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોરોના વાયરસના 1190 નવા કેસ નોંધાયા હતા અને વધું 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 2964 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,864 એક્ટિવ કેસ છે, જ્યારે 73,501 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 91 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,773 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 91,329 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનનમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરતમાં 2, અમરેલી-1, આણંદ-1, કચ્છ-1, પાટણ-1, રાજકોટ-1, વડોદરા કોર્પોરેશનમાં 1, વલસાડમાં 1 મળી કુલ 17 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 169 , અમદાવાદ કોર્પોરેશનમાં 143, સુરત- 89, વડોદરા કોર્પોરેશનમાં 89, જામનગર કોર્પોરેશન - 79, રાજકોટ કોર્પોરેશન-66, વડોદરા-34, અમરેલી-30, ભાવનગર કોર્પોરેશન- 30, રાજકોટ-30, પંચમહાલ-28, કચ્છ- 27 મોરબી-24, ભરુચ-21, ભાવનગર-21, મહેસાણા-21, અમદાવાદ-20, ગાંધીનગર કોર્પોરેશન-20, દાહોદ-19, બનાસકાંઠા-17, દેવભૂમિ દ્વારકા-17, ગીર સોમનાથ-17, પાટણ-16, જુનાગઢ કોર્પોરેશન-15, બોટાદ-14, નર્મદા-14, જુનાગઢ-13, નવસરારી 12, છોટાઉદેપુર-11, મહિસાગર 11, જામનગરમાં 10, ગાંધીનગર-8, ખેડા-8, આણંદ-7, ડાંગ-7, સાબરકાંઠા-7, તાપી, 7, પોરબંદર-5, સુરેન્દ્રનગર-5, વલસાડ-5, અને અરવલ્લીમાં 4 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1193 દર્દી સાજા થયા હતા અને 76,227 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 20,45,951 ટેસ્ટ કરવામાં આવ્યા છે.