ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, ગીર સોમનાથમાં 1, મહેસાણામાં 1, મોરબીમાં 1, જામનગર કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 13 લોકોના મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
સુરત કોર્પોરેશનમાં 181 અમદાવાદ કોર્પોરેશનમાં 143, વડોદરા કોર્પોરેશનમાં 89, સુરતમાં 92, જામનગર કોર્પોરેશમાં 88, રાજકોટ કોર્પોરેશમાં 79, ભાવનગર કોર્પોરેશનમાં 36, રાજકોટમાં 36, વડોદરામાં 35,પંચમહાલમાં 34, કચ્છ અને મોરબીમાં 28-28, અમરેલી અને ભાવનગરમાં 25-25, ગીર-સોમનાથમાં 22, અમદાવાદ-ભરૂચ-ગાંધીનગરમાં21-21 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1111 દર્દી સાજા થયા હતા અને 74,234 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 21,95,985 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,99,371 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,98,853 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 518 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.