ગાંધીનગરઃ કોરોના વાયરસના આજે રાજ્યમાં 987 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3708 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13,254 એક્ટિવ કેસ છે, જ્યારે 1,54,078 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 13,193 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,71,040 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, સુરતમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 4 મોત થયા છે.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 162, અમદાવાદ કોર્પોરેશનમાં 159, વડોદરા કોર્પોરેશનમાં 79, રાજકોટ કોર્પોરેશનમાં 57, સુરત 51, રાજકોટ 39, વડોદરામાં 38, મહેસાણામાં 33, બનાસકાંઠામાં 28, નર્મદા 27, કચ્છ 21, પાટણ 21, સાબરકાંઠા 20, જામનગર કોર્પોરેશન 18, સુરેન્દ્રનગર 18, ગાંધીનગર 17, ગાંધીનગર કોર્પોરેશન 17, અમરેલી 15, ગીર સોમનાથ 15, જુનાગઢ 13, પંચમહાલ 13, અમદાવાદ 12, ભાવનગર કોર્પોરેશન 12, ખેડા 12 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1083 દર્દી સાજા થયા હતા અને 52,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 59,50,616 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.08 ટકા છે.