ગાંધીનગરઃ ગુજરાતમાં આજે કોરોનાના 1272 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 17 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3008 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 15390 એક્ટિવ કેસ છે, જ્યારે 76757 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 84 દર્દી વેન્ટીલેટર પર છે અને 15306 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 95155 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3, ભાવનગરમાં 2, સુરતમાં 2, અમરેલીમાં 1, બનાસકાંઠામાં 1, જામનગરમાં 1, સાબરકાંઠામાં 1, વડોદરામાં 1 અને વડોદરા કોર્પોરેશનમાં 1 મળી કુલ 17 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોર્પોરેશનમાં 174 અમદાવાદ કોર્પોરેશનમાં 146, વડોદરા કોર્પોરેશનમાં 93, જામનગર કોર્પોરેશમાં 87, રાજકોટ કોર્પોરેશમાં 83, સુરતમાં 83, રાજકોટ 36, ભાવનગર કોર્પોરેશનમાં 35, પંચમહાલમાં 35, વડોદરામાં 35, ભાવનગરમાં 33, ભરૂચમાં 30, કચ્છમાં 26, ગાંધીનગરમાં 25, ગાંધીનગર કોર્પોરેશનમાં 24, અમદાવાદ 23, મોરબી 23, અમરેલી 21, જામનગર 19, બનાસકાંઠા 18, સુરેન્દ્રનગર 18, દાહોદ 17 અને મહેસાણામાં 17 કેસ નોંધાયા છે.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1095 દર્દી સાજા થયા હતા અને 69,488 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 22,65,473 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,99,903 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,99,432 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 471 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.