ગાંધીનગર: રાજ્યમાં ધીરે ધીરે કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6,447  નવા કેસ નોંધાયા છે અને 67 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9269 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 9,557 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


રાજ્યમાં અત્યાર સુધી 6,60,489 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 96443 પર પહોંચ્યો છે. જેમાંથી 755 દર્દી વેન્ટિલેટર પર અને 95688 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 86.20  ટકા છે.  


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1862, વડોદરા કોર્પોરેશન 422, સુરત કોર્પોરેશન-322,  જૂનાગઢ 228, આણંદ 214, વડોદરા 197, રાજકોટ કોર્પોરેશન 187, અમરેલી 186, મહેસાણા 184, સાબરકાંઠા 182,  જામનગર કોર્પોરેશન 172, પંચમહાલ 168, સુરત 144, ખેડા 142,  ભરૂચ 141, જૂનાગઢ કોર્પોરેશન 113, પોરબંદર 108, રાજકોટ 103, કચ્છ 97, પાટણ 96, અરવલ્લી 93, ભાવનગર કોર્પોરેશન 89, ગીર સોમનાથ 82, દાહોદ 80, મહીસાગર 80, વલસાડ 79, ગાંધીનગર કોર્પોરેશન 75, બનાસકાંઠા 73, જામનગર 72, નવસારી 69, ગાંધીનગર 68, ભાવનગર 63, નર્મદા 52, સુરેન્દ્રનગર 36, અમદાવાદ 33,  છોટા ઉદેપુર-33,  દેવભૂમિ દ્વારકા 24,મોરબી-23, તાપી 19, ડાંગ 10 અને  બોટાદમાં 6 કેસ સાથે કુલ 6,447  નવા કેસ નોંધાયા છે. 


 


ક્યાં કેટલા મોત થયા ? 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 12, વડોદરા કોર્પોરેશન 4, સુરત કોર્પોરેશન-7,  જૂનાગઢ 3, આણંદ 1, વડોદરા 0, રાજકોટ કોર્પોરેશન 3, અમરેલી 1, મહેસાણા 2, સાબરકાંઠા 1,  જામનગર કોર્પોરેશન 4, પંચમહાલ 1, સુરત 4, ખેડા 0,  ભરૂચ 0, જૂનાગઢ કોર્પોરેશન 0, પોરબંદર 1, રાજકોટ 4, કચ્છ 0, પાટણ 2, અરવલ્લી 0, ભાવનગર કોર્પોરેશન 2, ગીર સોમનાથ 2, દાહોદ 0, મહીસાગર 0, વલસાડ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, બનાસકાંઠા 2, જામનગર 3, નવસારી 0, ગાંધીનગર 1, ભાવનગર 1, નર્મદા 1, સુરેન્દ્રનગર 0, અમદાવાદ 0,  છોટા ઉદેપુર-0,  દેવભૂમિ દ્વારકા 3,મોરબી-0, તાપી 0, ડાંગ 0 અને  બોટાદમાં 0 મોત  સાથે કુલ 67 મોત થયા છે.


દેશમાં કોરોનાની સ્થિતિ  


દેશમાં કોરોના મહામારીને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, 3 મેએ રિકવરી રેટ 81.7 ટકા હતો, જે હવે વધીને 85.6 ટકા થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં 4,22,436 લોકો કોરોનાથી રિકવર થયા છે, જે દેશ માટે સૌથી વધુ છે. કોરોનાની રિકવરીમાં એક સ્પષ્ટ સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. તેની સાથે તેમણે કહ્યું કે, કોરોનાના 1 લાખથી વધુ એક્ટિવ કેસ 8 રાજ્યોમાં છે. 10 રાજ્યોમાં 50 હજારથી 1 લાખ સક્રિય કેસ છે. તો 50 હજારથી ઓછા સક્રિય કેસ વાળા 18 રાજ્યો છે.