Gujarat Corona Cases Update: રાજ્યમાં આજે 1380 નવા કેસ નોંધાયા, 14 લોકોના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 07 Dec 2020 08:34 PM (IST)
રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1380 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4095 પર પહોંચ્યો છે.
ફાઈલ તસવીર
ગાંધીનગરઃ રાજ્યમાં આજે કોવિડ-19ના નવા 1380 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 14 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4095 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 14,493 એક્ટિવ કેસ છે, જ્યારે 201580 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 14,412 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,20,168 પર પહોંચી છે. ક્યાં કેટલા થયા મોત રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 9, સુરત કોર્પોરેશનમાં 3, અમરેલીમાં 1 અને રાજકોટ કોર્પોરેશનમાં 1 મળી કુલ 14 લોકોને કોરોના ભરખી ગયો હતો. ક્યાં કેટલા નોંધાયા કેસ અમદાવાદ કોર્પોરેશનમાં 289, સુરત કોર્પોરેશનમાં 191, વડોદરા કોર્પોરેશનમાં 135, રાજકોટ કોર્પોરેશનમાં 89, પાટણ 58, મહેસાણામાં 54, ગાંધીનગર 44, વડોદરા 42, બનાસકાંઠા 39, રાજકોટમાં 39, સુરત 31, જામનગર કોર્પોરેશન 30, સુરેન્દ્રનગર 29, ગાંધીનગર કોર્પોરેશન 27, કચ્છ 26, મોરબી 22, ભાવનગર કોર્પોરેશન 21 અને ખેડામા 20 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 1568 દર્દી સાજા થયા હતા અને 68868 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 83,10,558 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 91.56 ટકા છે.