ગાંધીનગરઃ ગુજરાતમાં આજે 1278 કોરોના વાયરસના કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 10 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3541 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 16487 એક્ટિવ કેસ છે, જ્યારે 1,27,932 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 81 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,406 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,47,951 પર પહોંચી છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશનમાં 1, અમરેલીમાં-1, બનાસકાંઠા-1, ગીર સોમનાથ-1, પાટણ-1, સુરત-1 અને તાપીમાં 1 મળી કુલ 10 લોકોના મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

સુરત કોપોરેશનમાં 176, અમદાવાદ કોપોરેશનમાં 169, સુરતમાં 94, રાજકોટ કોપોરેશનમાં 88, વડોદરા કોપોરેશનમાં 82, જામનગર કોપોરેશનમાં 65, વડોદરામાં 42, મહેસાણામાં 39, અમરેલીમાં 34, બનાસકાંઠામાં 31, સાબરકાંઠામાં 29, અમદાવાદમાં 26, ભરૂચમાં 26, ગાંધીનગરમાં 24, જામનગરમાં 24, પંચમહાલમાં 24,સુરેન્દ્રનગરમાં 24, જુનાગઢમાં 23, પાટણમાં 23, ગાંધીનગર કોપોરેશમાં 21, કચ્છમાં 20, ભાવનગર કોપોરેશનમાં 18, જુનાગઢ કોપોરેશનમાં 18, મોરબીમાં 18, રાજકોટમાં 17, દાહોદમાં 15, ગીર સોમનાથમાં 14, ખેડામાં 12, મહીસાગરમાં 12, નર્મદામાં 12, વલસાડમાં 8, નવસારીમાં 7, તાપીમા 6 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1266 દર્દી સાજા થયા હતા અને 52,465 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 48,58,505 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 86.46 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,99,101 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,98,694 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 407 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.