ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના  બેકાબૂ થયો છે. સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે.   છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1565  નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6  લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે.  આજે રાજ્યમાં 969  દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 96.08  ટકા પર પહોંચ્યો છે. હાલ 6737  એક્ટિવ કેસ છે, જેમાંથી 69   લોકો વેન્ટિલેટર પર અને 6668 લોકો સ્ટેબલ છે. 


આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2,  રાજકોટમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મૃત્યુ થયું હતું.  રાજ્યમાં અત્યાર સુધી કુલ 4443 લોકોના કોરોનાથી મોત થયા છે.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 1565   કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 6   લોકોના કોરોના સંક્રમણથી  મૃત્યુ થયા છે. 


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


અમદાવાદ કોર્પોરેશનમાં 401, સુરત   કોર્પોરેશનમાં 381, વડોદરા કોર્પોરેશનમાં 132,  રાજકોટ  કોર્પોરેશનમાં 121, સુરતમાં 103, રાજકોટ 31, મહેસાણા 29, ખેડા 27,ભાવનગર કોર્પોરેશન -25, પંચમહાલ 24, દાહોદ 19,  જામનગર કોર્પોરેશન-19, વડોદરા 19, નર્મદા 18, ગાંધીનગર 17, ગાંધીનગર કોર્પોરેશન 16, કચ્છ 16,  સાબરકાંઠા 16, ભરૂચ 14, મહીસાગર 14, જામનગર 13, આણંદ 12,જુનાગઢ કોર્પોરેશન-12, બનાસકાંઠા 11, મોરબી 11, પાટણ 11 અને ભાવનગરમાં 10  કેસ નોંધાયા હતા.


આજે ક્યાં કેટલા લોકોને કરાયા ડિસ્ચાર્જ  ?


સુરત કોર્પોરેશનમાં 286, અમદાવાદ કોર્પોરેશનમાં 270, વડોદરા કોર્પોરેશનમાં 115, રાજકોટ કોર્પોરેશનમાં 75,  સુરતમાં 12, રાજકોટ-13,  ભરુચ-11, મહેસાણા-8, જામનગર કોર્પોરેશન -23, ખેડા-16, ભાવનગર કોર્પોરેશન 8  દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.  આજે રાજ્યમાં 969 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધી 2,74,249 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા  છે. 


કેટલા લોકોએ લીધી રસી


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 28,36,204    લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 5,92,712 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 2,02,529  લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 1,87,654 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા  મળેલ નથી.