ગાંધીનગરઃ દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 21  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,542 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું  નથી.  આજે  4,57,767 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 14, વડોદરા કોર્પોરેશનમાં છ, સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરતમાં 3, જૂનાગઢમાં 2, વલસાડમાં 2, અમરેલીમાં 1, ગીર સોમનાથમાં 1, ખેડામાં 1, મોરબીમાં 1, નવસારીમાં 1 અને સુરેન્દ્રનગરમાં કોરોનાનો નવા કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 234  કેસ છે. જે પૈકી 07 વેન્ટીલેટર પર છે, જ્યારે 227 નાગરિકો સ્ટેબલ છે. 8,16,524 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 17 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1096  નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8364 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,13,704 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26,824 નાગરિકોને રસીનો પ્રથમ અને 3,07,762 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,57,767 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,33,31,552 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન,  બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, જામનગર કોર્પોરેશન,  જૂનાગઢ કોર્પોરેશન, કચ્છ, મહીસાગર, મહેસાણા, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, તાપી, વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.