ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 17  કેસ નોંધાયા છે.  આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 358  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 06 લોકો વેન્ટીલેટર પર છે. 352 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1212448 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,939  લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક પણ દર્દીનું મોત નથી થયું છે.


અમદાવાદ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 2, વડોદરામાં 1, બનાસકાંઠામાં 2, ભરુચમાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, મહેસાણામાં 1 કોરોનાનો નવો કેસ નોંધાયો છે. 


આ જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નહીઃ
સુરત કોર્પોરેશન, અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, પાટણ, મોરબી, ભાવનગર, ગાંધીનગર,  રાજકોટ, દાહોદ, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,  દેવભૂમિ દ્ધારકા, ગીર સોમનાથ,  જામનગર, જામનગર કોર્પોરેશન, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, ,  નર્મદા, નવસારી,  પંચમહાલ, પોરબંદર,    , સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર,  , તાપી અને વલસાડમાંમાં એક પણ નવો કેસ નોંધાયો નહોતો.


બીજી તરફ આજે 43 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.08  ટકાએ પહોંચ્યો છે. આજે 95,147 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં રિકવરી રેટ પણ સતત વધી રહ્યો છે. રિકવરી રેટ 99.08 ટકા છે. 


રાજ્યમાં રસીકરણઃ
રસીકરણની વાત કરીએ તો આજે રાજ્યમાં 12 થી 14 વર્ષની ઉંમરનાને 56,438 ડોઝ, 18 વર્ષથી વધારેની ઉંમરના 1854 ને રસીનો પ્રથમ અને 17038ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-17 વર્ષના નાગરિકો પૈકી 933 ને રસીનો પ્રથમ જ્યારે 11,464 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 7420 ને પ્રીકોશન ડોઝ અપાયો હતો. આજે રાજ્યમાં કુલ 95,147 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10,46,88,044 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.