ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 377   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 5010  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 41 લોકો વેન્ટીલેટર પર છે. 4969 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1204656 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10896 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 9 લોકોના મોત થયા છે.


અમદાવાદ કોર્પોરેશનમાં 131, વડોદરા કોર્પોરેશનમાં 41, વડોદરા 31,  બનાસકાંઠા 18,  સુરત કોર્પોરેશન 18, અરવલ્લી 15, ગાંધીનગર કોર્પોરેશન 13, મહેસાણા 12, પાટણ 11, ખેડા 8 અને સુરતમાં 8 કેસ નોંધાયા છે. 


બીજી તરફ આજે 1148 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.70  ટકાએ પહોંચ્યો છે. આજે 44,497 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 9 લોકોના મોત થયા છે.  વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરા 1,સુરત 1,  ભાવનગર કોર્પોરેશન 1, જામનગર કોર્પોરેશનમાં  2   કોરોના દર્દીનું મોત થયું હતું.


અત્યાર સુધીમાં કુલ 1204656  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.70 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 8 ને પ્રથમ અને 44 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 1457 ને પ્રથમ અને 3617 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 5540 ને પ્રથમ અને 17179 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 2385 ને પ્રથમ અને 9080 ને બીજો ડોઝ અપાયો હતો. 5187 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 44,497  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,21,28,900 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.