ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 45  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 26 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,134 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 4,26,161 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 11, ભરૂચમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 4, કચ્છમાં 3, નવસારીમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2, વલસાડમાં 2, આણંદમાં 1, ભાવનગરમાં 1, ભાવનગર કોર્પોરેશનમાં 1,  જામનગર કોર્પોરેશનમાં 1, અને ખેડામાં 1  કોરોનાનો કેસ નોંધાયો હતો.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 293   કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 285 નાગરિકો સ્ટેબલ છે. 8,17,134  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10093 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 6 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 2215 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 9562 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,01,429 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 31,446 નાગરિકોને રસીનો પ્રથમ અને 2,81,503 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,26,161 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,14,82,622 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 



અમદાવાદ, અમરેલી, અરવલ્લી,  બનાસકાંઠા, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર,  જૂનાગઢ,  જૂનાગઢ કોર્પોરેશન,  મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ,  પાટણ, પોરબંદર,  રાજકોટ,  સાબરકાંઠા, સુરત,  સુરેન્દ્રનગર,તાપી અને વડોદરામાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.