ગાંધીનગરઃ ગુજરાતમાં આજે  છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 486   કેસ નોંધાયા છે.   આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 5790  પર પહોંચી ગયો છે. રાજ્યમાં 42 લોકો વેન્ટીલેટર પર છે. 5748 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 1203508 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10887 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 13 લોકોના મોત થયા છે.


અમદાવાદ કોર્પોરેશનમાં 192, વડોદરા કોર્પોરેશનમાં 62, વડોદરા 39,  સુરત કોર્પોરેશન 21, બનાસકાંઠા 20, આણંદ 12, મહેસાણા 12,   રાજકોટ કોર્પોરેશન 12, સુરત 11, ગાંધીનગર  કોર્પોરેશનમાં 10 કેસ નોંધાયા છે.


બીજી તરફ આજે 1419 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.63  ટકાએ પહોંચ્યો છે. આજે 1,60,094 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 4, વડોદરા 1, મહેસાણા 1, રાજકોટ કોર્પોરેશન 1, રાજકોટ 1, ભરુચ 2, પંચમહાલ 2  કોરોના દર્દીનું મોત થયું હતું.


અત્યાર સુધીમાં કુલ 1203508  દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.63 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 20 ને પ્રથમ અને 24 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2187 ને પ્રથમ અને 12420 ને  બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 11076 ને પ્રથમ અને 49307 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 13591 ને પ્રથમ અને 52835 ને બીજો ડોઝ અપાયો હતો. 18634 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,60,094  કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,20,84,403 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.