ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે.  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 9177  કેસ નોંધાયા છે. બીજી તરફ 5404  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ  8,46,375 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 92.39 ટકાએ પહોંચ્યો છે.રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે  7 મોત થયા. આજે 1,76,918 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.


ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 2621, સુરત કોર્પોરેશનમાં 2215,  વડોદરા   કોર્પોરેશનમાં 1211,  રાજકોટ કોર્પોરેશનમાં 438, સુરતમાં 282, ભાવનગર કોર્પોરેશનમાં 250, વલસાડમાં 201, ગાંધીનગર કોર્પોરેશનમાં 218, નવસારીમાં 175, રાજકોટમાં 149. મહેસાણામાં 135, જામનગર કોર્પોરેશનમાં 121, ગાંધીનગરમાં 102, કચ્છમાં 87, વડોદરામાં 87, બનાસકાંઠામાં 81, આણંદમાં 78, પાટણમાં 77, મોરબીમાં 76, ગીર સોમનાથમાં 67, ભરૂચમાં 63, ખેડામાં 59, અમદાવાદમાં 45, ભાવનગરમાં 45, દાહોદમાં 45, સુરેન્દ્રનગરમાં 44, જામનગરમાં 40, સાબરકાંઠામાં 35, જૂનાગઢ કોર્પોરેશનમાં 32, મહીસાગરમાં 27, અમરેલીમાં 15, પંચમહાલમાં 14, દેવભૂમિ દ્વારકા 9, જૂનાગઢમાં 9, તાપીમાં 7, નર્મદામાં 6, પોરબંદરમાં 6, અરવલ્લીમાં 2, બોટાદમાં 2, ડાંગમાં 1 નવો કેસ નોંધાયો હતો. છોટા ઉદેપુરમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી.


જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 59,564  કેસ છે. જે પૈકી 60 વેન્ટીલેટર પર છે, જ્યારે 59,504 નાગરિકો સ્ટેબલ છે. 8,46,375 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10,151 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાના કારણે સાત લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં બે, સુરત કોર્પોરેશનમાં બે, સુરતમાં એક, નવસારીમાં એક, રાજકોટમાં એકના મોત થયા છે.


બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 6 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ અને 184 લોકોને બીજો ડોઝ અપાયો છે.  45 વર્ષથી વધારેની ઉંમરના 4190 લોકોને પ્રથમ અને 15,805 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26,134 નાગરિકોને રસીનો પ્રથમ જ્યારે 47,329 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આ જ રીતે 15-18 વર્ષ સુધીની ઉંમરના 43,760 નાગરિકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. પ્રીકોશન ડોઝ 39,510 લોકોને અપાયો છે.  આજે કુલ 1,76,918 લોકોનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં કુલ 9,46,60,282 લોકોને રસી અપાઈ છે.


 


Child's Vaccination: ભાજપ શાસિત આ રાજ્યમાં 15-18 વર્ષના તરૂણોએ રસી નહીં લીધી હોય તો સ્કૂલમાં પ્રવેશ નહીં અપાય, જાણો વિગત


Vitamin For Immunity: દેશમાં ફાટ્યો છે કોરોનાના રાફડો, આ વિટામિનનું સેવન બનાવશે ઈમ્યુનિટી મજબૂત


PAN Card: પાન કાર્ડ ખોવાઈ જાય તો પરેશાન થવાની નથી જરૂર, આ રીતે Duplicate પાન કાર્ડ માટે કરો અરજી


Assembly Election 2022: કોરોનાની સ્થિતિને લઈ ચૂંટણી પંચે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત