ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 71  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 27 દર્દીઓ રિકવર પણ થયા છે.  અત્યાર સુધીમાં કુલ 8,17,455 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.72 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ  મોત થયું નથી.   આજે 4,15,546 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  જામનગર કોર્પોરેશનમાં 15, વડોદરા કોર્પોરેશન 13, સુરત કોર્પોરેશનમાં 11,  અમદાવાદ કોર્પોરેશનમાં 10, કચ્છ 4, નવસારી 4, મહેસાણા  3, રાજકોટ કોર્પોરેશનમાં 3, દેવભૂમિ દ્વારકા 2, વલસાડ 2, આણંદ 1,  ગાંધીનગર કોર્પોરેશનમાં 1,  વડોદરામાં 1, અને અમદાવાદમાં 1 કેસ નોંધાયો હતો.



જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 524  કેસ છે. જે પૈકી 08 વેન્ટીલેટર પર છે, જ્યારે 516 નાગરિકો સ્ટેબલ છે. 8,17,455  નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10098 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. 


બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 15 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1200 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 11065 નાગરિકોને રસીનો પ્રથમ અને 97999 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 34564 નાગરિકોને રસીનો પ્રથમ અને 270703 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,15,546 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,52,12,332 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 



અમરેલી, અરવલ્લી,  બનાસકાંઠા,  ભરૂચ, ભાવનગર,  ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગાંધીનગર,  ગીર સોમનાથ,  જામનગર,   જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ,  પાટણ, પોરબંદર, રાજકોટ,   સાબરકાંઠા , સુરત સુરેન્દ્રનગર અને તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.