ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો હતો.  છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 36 કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 16  દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,726 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે.   આજે  3,42,151 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. 



ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં 10, વડોદરા કોર્પોરેશનમાં 8,નવસારી 4,  સુરત કોર્પોરેશમાં 3, આણંદ 2,  જામનગર કોર્પોરેશન 2,  મહેસાણા 2, ગાંધીનગર કોર્પોરેશન 1, કચ્છ 1, સાબરકાંઠા 1, સુરત 1 અને  વલસાડમાં 1  કોરોનાનો નવો કેસ નોંધાયો હતો.  



જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 331  કેસ છે. જે પૈકી 05 વેન્ટીલેટર પર છે, જ્યારે 326 નાગરિકો સ્ટેબલ છે. 8,16,726 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10091 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે વલસાડમાં કોરોના સંક્રમણથી 1 મોત થયું છે. 



બીજી તરફ રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 8 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 1575 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 10821 નાગરિકોને રસીનો પ્રથમ અને 80507 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 31438 નાગરિકોને રસીનો પ્રથમ અને 217802 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 3,42,151 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,65,69,351 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 



અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ,  ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્ધારકા, ગાંધીનગર,  ગીર સોમનાથ, જામનગર,  જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન,  ખેડા, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરેન્દ્રનગરમાં  તાપી અને વડોદરામાં  એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.