રાજ્યમાં હાલ 9663 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,31,800 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 9599 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને રાજકોટ કોર્પોરેશનમાં-1ના મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 152, સુરત કોર્પોરેશનમાં 108, વડોદરા કોર્પોરેશનમાં 96, રાજકોટ કોર્પોરેશનમાં 60, વડોદરા-28, રાજકોટ-27, કચ્છ 22, ભરૂચ 20, મહેસાણા-16, ખેડા 15, પંચમહાલ 15, સાબરકાંઠા 15, સુરત 14 અને ગાંધીનગરમાં 12 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 907 દર્દી સાજા થયા હતા અને 53,520 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 97,06,300 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 94.32 ટકા છે.