ગાંધીનગર: કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 615 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4347 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 7695 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,40,517 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 60 દર્દી વેન્ટીલેટર પર છે અને 7635 લોકો સ્ટેબલ છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશન-1 મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 126, સુરત કોર્પોરેશનમાં 102, વડોદરા કોર્પોરેશનમાં 93, રાજકોટ કોર્પોરેશનમાં 47, સુરત-27,વડોદરા 26, દાહોદ 14, રાજકોટ 13, મહેસાણા 12, ગાંધીનગર કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશન 11, કચ્છ 11, ખેડામાં 10 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 746 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.23 ટકા છે. રાજ્યના જુદાજુદા જિલ્લામાં આજની તારીખે 4,84,998 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.