ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશન-1 મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 126, સુરત કોર્પોરેશનમાં 102, વડોદરા કોર્પોરેશનમાં 93, રાજકોટ કોર્પોરેશનમાં 47, સુરત-27,વડોદરા 26, દાહોદ 14, રાજકોટ 13, મહેસાણા 12, ગાંધીનગર કોર્પોરેશન 11, જામનગર કોર્પોરેશન 11, કચ્છ 11, ખેડામાં 10 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 746 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.23 ટકા છે. રાજ્યના જુદાજુદા જિલ્લામાં આજની તારીખે 4,84,998 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.