ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવી ચિત્ર સામે આવી રહ્યું છે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1110 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4193 પર પહોંચ્યો છે.


રાજ્યમાં હાલ 12881 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,12,839 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 61 દર્દી વેન્ટીલેટર પર છે અને 12820 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,29,913 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8, સુરત કોર્પોરેશનમાં 2 અને મહેસાણામાં 1 મોત સાથે કુલ 11 લોકોના કોરોનાથી મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 232, સુરત કોર્પોરેશનમાં 141, વડોદરા કોર્પોરેશનમાં 101, રાજકોટ કોર્પોરેશનમાં 99, મહેસાણા 44, વડોદરા 42, કચ્છ 35, ગાંધનીગર- 30, સુરત 26, રાજકોટ-25, અમરેલી 23, ખેડા 23, ભરૂચ 22, પંચમહાલ 22, ગાંધીનગર કોર્પોરેશન 21 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1236 દર્દી સાજા થયા હતા અને 54,883 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 87,80,266 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.57 ટકા છે.