ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેવી ચિત્ર સામે આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1115 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 8 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4211 પર પહોંચ્યો છે.


રાજ્યમાં હાલ 12449 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,15,528 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 65 દર્દી વેન્ટીલેટર પર છે અને 12384 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,32,118 પર પહોંચી છે.

ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 3 અને બોટાદમાં 1ના મોત સાથે કુલ 8 લોકોના કોરોનાથી મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 224, સુરત કોર્પોરેશનમાં 138, વડોદરા કોર્પોરેશનમાં 103, રાજકોટ કોર્પોરેશનમાં 101, મહેસાણા 50, વડોદરા 41, સુરત-31, પંચમહાલ-30, ગાંધીનગર 29, રાજકોટ 28, ભાવનગર કોર્પોરેશન - 23, કચ્છ-23, ભરુચ-22, ગાંધીનગર કોર્પોરેશન-20, જામનગર કોર્પોરેશન-20, ખેડામાં 19 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1305 દર્દી સાજા થયા હતા અને 54,835 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 88,89,965 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.82 ટકા છે.