ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 1175 કેસ નોંધાયા છે. જ્યારે વધુ 11 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4171 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 13298 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,10,214 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 65 દર્દી વેન્ટીલેટર પર છે અને 13233 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,27,683 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત


રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 8 અને સુરત કોર્પોરેશનમાં 3 મોત સાથે કુલ 11 લોકોના કોરોનાથી મોત થયા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 239, સુરત કોર્પોરેશનમાં 148, વડોદરા કોર્પોરેશનમાં 112, રાજકોટ કોર્પોરેશનમાં 99, મહેસાણા-51, વડોદરા- 40, ગાંધનીગર- 35, રાજકોટ-30, અમરેલી-29, જામનગર કોર્પોરેશન 28, કચ્છ 28, પાટણ 25, સુરત 24, સાબરકાંઠા 22, આણંદ 21, બનાસકાંઠા20 અને દાહોદમાં 20 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 1347 દર્દી સાજા થયા હતા અને 55,989 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 86,69,576 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 92.33 ટકા છે.