ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 266 નવા કેસ નોંધાયા હતા જ્યારે 277 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.72 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મૃત્યુ થયું છે. અમદાવાદ કોર્પોરેશમાં 1 મોત થયું છે. કોરોનાથી અત્યાર સુધી કુલ મૃત્યુઆંક 4404 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 1684 એક્ટિવ કેસ છે, જેમાંથી 30 લોકો વેન્ટિલેટર પર અને 1654 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 2,60,475 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ક્યાં કેટલા કેસ નોંધાયા રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 46, વડોદરા કોર્પોરેશમાં 42, સુરત કોર્પોરેશન 37, રાજકોટ કોર્પોરેશન 21, સુરત-9, વડોદરા 9, ખેડા 8, રાજકોટ 8, ગાંધીનગર કોર્પોરેશન, મોરબી,પંચમહાલ અને સાબરકાંઠામાં 6-6 કેસ નોંધાયા હતા. અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી ગુજરાતમાં અત્યાર સુધી 8,09,893 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે 1235 લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.