મળતી વિગતો પ્રમાણે, આજે વહેલી સવારે 8 લોકોને બેસાડી તૂફાન કાર કાઠિયાવાડ તરફ જઈ રહી હતી, ત્યારે બગોદરા-વટામણ હાઈ-વે પર તૂફાન ચાલકે કાબૂ ગુમાવતા ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે પાંચ લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ તમામ લોકો આદિવાસી સમાજના હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તેઓ મજૂરી કરવા કાઠિયાવાડ તરફ જઈ રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે, તૂફાન કારની બોડી ચીરીને લાશો બહાર કાઢવી પડી હતી.