ગાંધીનગર: રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 460 નવા કેસ નોંધાયા હતા જ્યારે 315 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આજે રાજ્યમાં કોરોના સંક્રમણથી એકપણ મોત નથી થયું. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4408 પર છે. રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ 400થી વધારે નોંધાયા છે.
રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.57 ટકા પર પહોંચ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 262487 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં હાલ 2136 એક્ટિવ કેસ છે, જેમાંથી 38 લોકો વેન્ટિલેટર પર અને 2098 લોકો સ્ટેબલ છે.


આજે ક્યા કેટલા કેસ નોંધાયા ?

આજે અમદાવાદ કોર્પોરેશનમાં 99, વડોદરા કોર્પોરેશનમાં 99, સુરત કોર્પોરેશન 68, રાજકોટ કોર્પોરેશન 55, ભાવનગર કોર્પોરેશન-12, રાજકોટ 12, વડોદરા 10, કચ્છ 9, છોટા ઉદેપુર, ખેડા, મહીસાગર, પંચમહાલ અને સુરતમાં 6-6 કેસ નોંધાયા હતા.

અત્યાર સુધી કેટલા લોકોને અપાઈ રસી

ગુજરાતમાં અત્યાર સુધી 8,20,700 લોકોને પ્રથમ ડોઝ અને 1,65,538 લોકોને બીજા ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં 16 જાન્યુઆરીથી કોરોના રસીકરણ શરુ કરવામાં આવ્યું હતું.