ગાંધીનગર: રાજ્યમાં કોરોના સંક્રમણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 485 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 2 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4369 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 5967 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,46,516 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 52 દર્દી વેન્ટીલેટર પર છે અને 5915 લોકો સ્ટેબલ છે.


ક્યાં કેટલા થયા મોત

રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 મળી કુલ 2 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.

ક્યાં કેટલા નોંધાયા કેસ

અમદાવાદ કોર્પોરેશનમાં 99, સુરત કોર્પોરેશનમાં 84, વડોદરા કોર્પોરેશનમાં 72, રાજકોટ કોર્પોરેશનમાં 51, વડોદરા 23, મહેસાણા 14, રાજકોટ 14, કચ્છ 11, જામનગર કોર્પરેશનમાં 10, ગાંધીનગરમાં 9 અને જામનગરમાં 9 કેસ નોંધાયા હતા.

આજે કેટલા દર્દી થયા સાજા

રાજ્યમાં આજે કુલ 709 દર્દીઓ સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.98 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,67,612 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.